નવી દિલ્હી : ઇઝરાયલે ભારતને વિશેષ રીતે આતંકવાદથી પોતાનો બચાવ કરવા માટે બિનશરતી મદદની રજુઆત કરતા જોર આપ્યુ કે તેની મદદની કોઇ નથી. ઇઝરાયલેનું આ આશ્વાસન આ વધતી માંગની પૃષ્ટભુમિમાં ખાસુ મહત્વપુર્ણ છેકે સરકાર આતંકવાદી હુમલાઓને પહોંચી વળવાની ઇઝરાયેલી પદ્ધતી અંગે વિચાર કરે. ભારતમાં ઇઝરાયેલનાં નવનિયુક્ત રાજદુત ડૉ. રોન મલકાની ટીપ્પણી એક સવાલનાં જવાબમાં આવી કે તેમનો દેશ આતંકવાદથી પીડિત ભારતની  તમામ પ્રકારે મદદ કરી શકે છે. ગત્ત ગુરૂવારે જમ્મુ કાશ્મીરમાં એક ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. 
જમ્મુમાં પરિસ્થિતી તંગ: રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન ખાનના મંત્રીની શિયાળ લાળી: યુદ્ધ થશે તો ભારતના મંદિરોમાં ક્યારેય ઝાલર નહી વાગે

આ આતંકવાદી હુમલાને પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે પાર પાડ્યું હતું. આ આતંકવાદી હુમલા બાદ તે માંગ જોર પકડી રહી છે કે સરકારને આતંકવાદની વિરુદ્ધ અભિયાન માટે ઇઝરાયેલ દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતી પર જોર આપવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલી સેના પોતાની સટીક અને ત્વરીત કાર્યવાહી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. 


પુલવામા: ભારતના પ્રયાસોના પગલે ફ્રાંસ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરાવશે

મલકાએ ગત્ત અઠવાડીયાની સરૂઆતમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ભારતને પોતાના સંરક્ષણ માટે જે જરૂરી છે, તેની કોઇ સીમા નથી. અમે પોતાનાં નજીકના મિત્રો ભારતને ખાસ કરીને આતંકવાદની વિરુદ્ધ બચાવ કરવામાં મદદ કરવા માટે તૈયાર છે, કારણ કે આતંકવાદ વિશ્વની સમસ્યા છે, ન કે માત્ર ભારત અને ઇઝરાયેલની. તેમણે ભાર પુર્વક કહ્યું કે, વિશ્વને સહયોગ કરીને આતંકવાદ સામે લડવું જોઇએ અને તેને ખતમ કરવો જોઇએ. એટલા માટે અમે ભારતની મદદ કરીએ છીએ, પોતાની માહિતી વહેંચીએ છીએ કારણ કે અમે વાસ્તવમાં અમારા મહત્વપુર્ણ મિત્રની મદદ કરવા ઇચ્છીએ છીએ.