નવી દિલ્હી: ભારતે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે અંતરિક્ષની દુનિયામાં ઊંચી છલાંગ લગાવી છે. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી માર્ક તૃતીય પ્રક્ષેપણ યાનથી અંતરિક્ષ યાન ચંદ્રયાન-2ને લોન્ચ કરીને ભારતે દુનિયામાં પોતાનો દમ દેખાડ્યો છે. ઈસરોના ચીફ કે સિવને ચંદ્રયાન-2ના લોન્ચિંગ બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચંદ્રયાન-2નું લોન્ચિંગ સફળ રહ્યું. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશન ચંદ્રયાન 2: સફળ લોન્ચ કરી ભારતે રચ્યો ઇતિહાસ, 48 દિવસે ચંદ્ર પર ઉતરશે


ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે મને આ જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે કે જીએસએલવીએ ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષા પર સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધુ છે. તે ભારત માટે ચંદ્ર તરફ ઐતિહાસિક યાત્રા અને ત્યાંના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ પર વૈજ્ઞાનિક સંશોધન કરવાની શરૂઆત છે. 


તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો અને ટીમ ઈસરોની આકરી મહેનતથી આ સફળતા મળી છે. તેમણે કહ્યું કે 15 જુલાઈથી મિશનમાં આવેલી ટેક્નિકલ  ખામી બાદ ટીમ ઈસરોએ તેને તરત દૂર કરવા માટે પોતાની તાકાત ઝોંકી દીધી. તેમણે કહ્યું કે ટીમ ઈસરોએ ઘર પરિવારની ચિંતા છોડીને સતત 7 દિવસ સુધી આ ખામીને દૂર કરવા માટે તાકાત લગાવી દીધી. આકરી મહેનતનું આ પરિણામ છે. હું તમામને અભિનંદન પાઠવું છું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...