નવી દિલ્હીઃ અંતરિક્ષમાં સતત નવી સિદ્ધિઓ હાસિલ કરી રહેલા ભારતીય ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) સાથે બુધવારે વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. ઈસરોએ બુધવારે સંચાર ઉપગ્રહ જીસેટ-29 લોન્ચ કર્યો. આ ઉપગ્રહને બુધવારે સાંજે 5 કલાક અને 8 મિનિટે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સંચાર ઉપગ્રહ જીસેટ-29ને લોન્ચ કરવા માટે જીએસએલવી-એમકે 3 રોકેટનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે ઈસરોનું પાંચમું લોન્ચિંગ છે. આ લોન્ચિંગ જમ્મૂ અને કાશ્મીરની સાથે ઉત્તર પૂર્વના રાજ્યો માટે મહત્વપૂર્ણ છે. 




COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મૂ-કાશ્મીર અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં સારી થશે સંચારની સુવિયા
આ એક હાઈથ્રોપુટ સંચાર ઉપગ્રહ છે. તેને જમ્મૂ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેનાથી આ રાજ્યોમાં સંચારની સુવિધાઓ સારી થશે અને તેનાથી ઈન્ટરનેટની ઝડપ પણ વધી શકે છે.