નવી દિલ્હી: ઉત્તર પશ્વિમ અને મધ્ય ભારતના ખાસકરીને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીની આસપાસના વિસ્તારોમાં આગામી કેટલાક દિવસોમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના અનુસાર હિમાલયમાં એક પશ્વિમી વિક્ષોભ સક્રિય થઇ રહ્યું છે. તેના લીધે ઉત્તર પશ્વિમી વિસ્તારોમાં 11 થી 15 મે સુધી તેનો પ્રભાવ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં થશે સારો વરસાદ
હવામાન વિભાગના અનુસાર આ પશ્વિમી વિક્ષોમ પૂર્વી ભારત તરફ વધી રહ્યું છે. એવામાં 12 થી 16 મે વચ્ચે પશ્વિમી બંગાળ, સિક્કિમ તથા પૂર્વોત્તર ભારતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે. તો બીજી તરફ જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, પશ્વિમી ઉત્તર પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાન સહિત ઘણા ભાગોમાં આ દરમિયાન આંધી તથા વરસાદ પડી શકે છે. 


બપોર બાદ વધશે આંધીની સંભાવના
હવામાન વિભાગના અનુસાર પશ્વિમ વિક્ષોભની સાથે જ રાજસ્થાનની ઉપર એક સાઇક્લોનિક સર્કુલેશન બનાવી રહ્યું છે. તેના લીધે અરબ સાગરમાંથી મોટાપાયે ભેજ ઉત્તર પશ્વિમી ભારત સુધી પહોંચશે. આ પશ્વિમી વિક્ષોભને બળ મળશે અને દેશના ઘણા વિભાગોમાં સારી વરસાદ પણ જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું કે આ દરમિયાન ઉત્તર ભારતમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાશે. 


બપોર બાદ વધશે ગતિવિધિ
હવામાન વૈજ્ઞાનિક સમરજીત ચૌધરીએ જણાવ્યું કે પશ્વિમ વિક્ષોભ તથા રાજ્સ્થાનમાં બની રહેલા સર્કુલેશનના લીધે બપોર બાદ ધૂળ ભરેલી આંધી અથવા વરસાદની સંભાવના વધુ રહેશે. એવામાં તેના લીધે થોડા દિવસો સુધી વધુમાં વધુ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે.


ખેડૂતોને મળશે ફાયદો
જોકે દેશભરમાં ખેડૂત ધાનની ખેતીની તૈયારી કરી રહેલી છે. ટૂંક સમયમાં વાવણી તથા ખેતોને તૈયાર કરવાનું કામ શરૂ કરશે. એવામાં દેશના વિભિન્ન વિસ્તારોમાં થનાર વરસાદના લીધે ખેડૂતોને પાણીનો ખર્ચ ઘટી જશે.