શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં રાજ્ય સરકારના પતનનાં બીજા દિવસે શ્રીનગર- જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગલાંદર નજીક ન્યૂ બાઇપાસ પામ્પોરની પાસે આતંકવાદીઓએ પોલીસના વાહન પર હૂમલો કરી દીધો જેમાં એક સુરક્ષા અધિકારી શહિદ થયા હતા, જ્યારે 2 ઘાયલ થયા હતા. પોલીસનાં અનુસાર આતંકવાદીઓએ પંપોર વિસ્તારમાં ભારતીય રિઝર્વ પોલીસની 17મી બટાલિયનની ગાડીને નિશાન બનાવ્યું અને તેના પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાયલોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. હૂમલાખોરોને પકડવા માટે અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પોલીસે આ ગાડીમાં પોલીસ કર્મચારીઓ બેઠેલા હતા. આતંકવાદી હૂમલામાં 3 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા, જેમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા અને 2 અન્ય પોલીસ જવાનો ઘાયલ થયા હતા. 

અગાઉ જમ્મુ કાશ્મીરમાં રાજ્ય સરકારના રાજીનામા આપ્યા બાદ રાજ્યપાલ એન.એન વોહરાની તરફથી કરવામાં આવેલી ભલામણ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે પોતાના હસ્તાક્ષર કરી દીધા અને આ સાથે જ આઠમી વખત રાજ્યમાં સત્તાની કમાન રાજ્યપાલનાં હાથમાં આવી ગઇ. આ પણ એક ઇત્તેફાક છે કે તમામ 8 વખત રાજ્યપાલ શાસન માટે મુફ્તી પરિવાર જ તે પળનો સાક્ષી બન્યો છે. 

ગત્ત સાત વખત પણ જ્યારે જ્યારે રાજ્યપાલ શાસન રાજ્યમાં લદાયું ત્યારે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મુફ્તી મોહમ્મદ સઇદ અને તેમનો પરિવાર જ રહ્યો છે. આ વખતે રાજ્યપાલ શાસન માટે મુફ્તી મોહમ્મદ સઇદની પુત્રી મહેબુબા મુફ્તી રહી.