શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ નાપાક હરકતને અંજામ આપ્યો. શહેરના લાલ ચોક પર આતંકીઓએ ભાજપ નેતા ગુલામ રસૂલ ડાર અને તેમના પત્ની પર ફાયરિંગ કર્યું. બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા પણ ત્યાં તેમનું મોત થઈ ગયું. 


કુલગામ કિસાન મોરચા અધ્યક્ષની હત્યા
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ સોમવારે ભારતીય જનતા પાર્ટી સાથે જો઼ડાયેલા સરપંચ અને તેમના પત્નીની હત્યા કરી નાખી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સરપંચ અને ભાજપ કિસાન મોરચાની કુલગામ જિલ્લા શાખાના અધ્યક્ષ ગુલામ રસુલ ડાર અને તેમના પત્ની પર ફાયરિંગ કર્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube