જમ્મુ: પાકિસ્તાન (Pakistan)ની સેનાએ રવિવારના જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી)ની પાસે ફરી એકવાર સીઝફાયરનો ભંગ કરતા ગોળીબાર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'લગભગ 45 મિનિટથી પાકિસ્તાને બાલાકોટ સેક્ટરમાં એલઓસી નજીક નાના હથિયારોથી ફાયરિંગ કર્યું અને મોર્ટાર ચલાવ્યાં હતાં. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઉશ્કેરણી કર્યા વિના સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.


તેમણે કહ્યું કે ભારત તરફથી કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube