શોપિયાં: જમ્મુ-કાશ્મીરમાં આજે થયેલા એક આતંકવાદી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીનાં મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, શોપિયાં જિલ્લામાં થયેલી આ ઘટનામાં આતંકવાદીઓ પોલીસનાં હથિયાર લઈને ભાગી છૂટ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ જિલ્લાના એક વિસ્તારમાં રહેતા લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડી રહ્યા હતા. 


આજે સાંજ સુધીમાં થઈ શકે છે RBIના નવા ગવર્નરના નામની જાહેરાત, જૂઓ કોણ છે સ્પર્ધામાં...


પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે, શોપિયાં જિલ્લાના ઝેનપોરા ગામમાં આ ઘટના ઘટી હતી. અહીં ચાર પોલીસ કર્મચારીઓ એક ગાર્ડ રૂમમાં બેઠા હતા. 


મૃતકોમાં અબ્દુલ મજીદ, મંઝુર અહેમદ અને મોહમ્મદ અમીનની ઓળખ થઈ ગઈ છે.


બળાત્કાર અને જાતીય સતામણીનો ભોગ બનેલાના નામ જાહેર ન કરવા જોઈએઃ સુપ્રીમ


હુમલામાં ઘાયલ થયેલા ચોથા પોલીસ કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની સ્થિતી ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. 


પ્રાપ્ત માહિતી મુજબ, આતંકવાદીઓ આ પોલીસ કર્મચારી પર હુમલો કર્યા બાદ તેમના હથિયાર લઈને નાસી છુટ્યા હતા. જોકે, અહીં રહેતા લઘુમતી પરિવારો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.