નવી દિલ્હી: લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ વીડિયો


લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ, લાઈવ અપડેટ્સ માટે કરો ક્લિક...


આ બધા વચ્ચે કોંગ્રેસ તરફથી જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે જમ્મુ અને કાશ્મીરની વાત કરો છો ત્યારે તેમાં પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) પણ સામેલ છે તો તેમણે કહ્યું કે તેઓ જ્યારે જ્યારે જમ્મુ અને કાશ્મીરની વાત કરે છે ત્યારે તેમાં આપોઆપ પીઓકે અને અક્સાઈ ચીન પણ તેમા સામેલ હોય છે. અમિત શાહે પલટવાર કરતા કોંગ્રેસને પૂછ્યું કે શું તેઓ પીઓકે ને ભારતનો ભાગ નથી માનતી? અમે તો તેના માટે જીવ પણ આપી દઈશું. હકીકતમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે શું તમે પીઓકે અંગે પણ વિચારી રહ્યાં છો ત્યારે અમિત શાહે આ જવાબ આપ્યો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...