નવી દિલ્હી: હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી રિયાઝ નાયકુની લાશ પરિવારના સભ્યોને સોંપવામાં આવશે નહીં. તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા પછી પ્રશાસન જ તેના અંતિમ સંસ્કાર કરશે. આતંકવાદ સામેની લડતમાં આ એક મોટો નિર્ણય છે જેથી આતંકવાદીઓને હીરો બનાવવાની પ્રક્રિયા રોકી શકાય. ભૂતકાળમાં પણ, વિદેશી આતંકવાદીઓના કિસ્સામાં, પ્રશાસન ઘણી વખત આ પદ્ધતિનું પાલન કરતું રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આતંકી રિયાઝ નાયકુની ઠાર માર્યા બાદ અવંતિપુરામાં સુરક્ષા દળો પર પથ્થરમારો


બુધવારે રિયાઝ નાયકુના મોત બાદ સેનાએ માત્ર એટલું જ કહ્યું હતું કે બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાના અધિકારીઓએ કહ્યું કે તેમની નજરમાં કોઈ મોટો આતંકવાદી કે ટોચના કમાન્ડર નથી, માત્ર એક આતંકવાદી છે. સૈન્યના કોઈ પણ ટ્વિટમાં પણ રિયાઝ નાયકુના નામનો ઉલ્લેખ નહોતો. આ લશ્કરની નવી વ્યૂહરચના છે જે લોકડાઉન દરમિયાન શરૂ થઈ હતી.


આ પણ વાંચો:- પાકિસ્તાનના 'પોસ્ટર બોય' રિયાઝ નાયકુનો THE END, 10 પોઈન્ટમાં જાણો ઈન્સાઈડ સ્ટોરી


હકીકતમાં, એક પાકિસ્તાની આતંકવાદીના મોત બાદ તેના જનાજામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. સૈન્ય અને વહીવટીતંત્ર બંને માનવું છે કે, મરનાર આતંકવાદીના જનાજાનો ઉપયોગ નવી ભરતીઓ માટે કરવામાં આવે છે. જનાજામાં આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે અને સ્થાનિક યુવાનોને આતંકવાદી બનવા માટે ઉશ્કેરવામાં આવે છે.


આ પણ વાંચો:- રોષે ભરાયેલા પાકિસ્તાને LoC પર કર્યું ફાયરિંગ, ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ; ભારતે આપ્યો જવાબ


પોતે રિયાઝ નાયકુ પણ આવા એક જનાજામાં જોડાયો હતો અને તેણે રાઇફલ વડે ફાયરિંગ પણ કર્યું હતું. સૈન્ય અને પ્રશાસન તેને સંપૂર્ણ રીતે બંધ કરવા માગે છે. તેથી, આતંકવાદીની લાશ તેના પરિવારના સભ્યોને આપવામાં આવશે નહીં. પરિવારના સભ્યોની માંગ પર, તેના ડીએનએ નમૂના દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવશે. પરંતુ તેને દફન કરવાની જવાબદારી પ્રશાસન સંભાળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube