બેંગ્લુરુ: કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ આતંકવાદના કારણે બંધ થયેલી શાળાઓ અને મંદિરોનો સર્વે કરાવવાનો નિર્ણય લેવાયો છે. હકીકતમાં આતંકવાદના કારણે રાજ્યમાં 50,000 જેટલા મંદિરો બંધ થયા છે. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે બંધ પડેલા મંદિરો ફરીથી ખોલવામાં આવશે. જી કિશન રેડ્ડીએ કહ્યું કે કાશ્મીર ઘાટીમાં બંધ પડેલી શાળાઓની સંખ્યા જાણવા માટે સર્વે કરાવવામાં આવશે. આ અંગે એક કમિટી બનાવવામાં આવી છે. વર્ષોવર્ષ 50 હજાર જેટલા મંદિરો બંધ થઈ ગયા છે. તેમાંથી કેટલાક નષ્ટ કરવામાં આવ્યાં છે અને મૂર્તિઓને પણ ખંડિત કરવામાં આવી. આવા મંદિરોનો પણ અમે સર્વ કરવાનો આદેશ આપ્યો છે. 


J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, કઠુઆમાંથી 40 કિલોનો વિસ્ફોટકોનો જથ્થો પકડાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેના પ્રમુખે કહ્યું કે તમે એવું કેમ વિચારો છો કે ફરીથી એવી જ કાર્યવાહી (Air Strike) થશે. સરહદપારના લોકોને પણ એ વિચારવા દો કે આપણે શું કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી માટે યુદ્ધવિરામનો ભંગ કર્યા કરે છે. અમે સંઘર્ષવિરામના ભંગને કેવી રીતે પહોંચી વળવું તે જાણીએ છીએ. અમારા સૈનિકોને ખબર છે કે કઈ રીતે કાર્યવાહી કરવાની છે. અમે સતર્ક છીએ અને એ સુનિશ્ચિત કરીશું કે ઘૂસણખોરીને નિષ્ફળ કરાય. સેના પ્રમુખે કહ્યું કે ઓછામાં ઓછા 500 આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...