નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. આજે સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી લોકો ઘરથી બહાર ન નીકળે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. પીએમ મોદીનું કહેવું છે કે આ કવાયતથી COVID-19ના સંક્રમણને ફેલાતો અટકાવવામાં મદદ મળશે. વડાપ્રધાનની આ પહેલનો વિવિધ વ્યવસાયિકો, સંસ્થાનો અને યુનિયનોએ સમર્થન કર્યું છે. દેશના અલગ અલગ ભાગમાં ઈમરજન્સી સર્વિસિસને  બાદ કરતા લગભગ બંધની સ્થિતિ જોવા મળશે. આવો જાણીએ કે આજના આ જનતા કર્ફ્યૂના દિવસે શું બંધ રહેશે અને કઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે. 


મોલ્સ અને દુકાનો રહેશે બંધ
જનતા કર્ફ્યૂ હેઠળ મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, દુકાનો બંધ રહી શકે છે. જો કે મેડિકલ સ્ટોર્સ અને જરૂરી સામાન વેચતી દુકાનો ખુલ્લી રહેશે. દેશના લગભગ દરેક રાજ્યમાં દારૂની દુકાનો બંધ રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube