બર્લિન: લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. વિસ્ફોટના આરોપી જસવિન્દર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતની ભલામણ પર જર્મની પોલીસે જસવિન્દર સિંહ મુલ્તાનીની ધરપકડ કરી છે. લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસનો આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જસવિન્દર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે કામ કરી રહ્યો છે. તેણે ISI ના ઈશારે લુધિયાણા કોર્ટમાં ધડાકાનું ષડયંત્ર રચ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકીઓને હથિયાર ઉપલબ્ધ કરાવતો હતો જસવિન્દર
સૂત્રોના જણાવ્યાં મુજબ જસવિન્દર સિંહ મુલતાની ખાલિસ્તાની આતંકીઓને હથિયારો ઉપલબ્ધ કરાવવામાં લાગ્યો હતો જેથી કરીને મુંબઈ અને દિલ્હીમાં પણ આતંકી હુમલા કરાવી શકાય. મોદી સરકારે Highest Level પર જર્મનીની સરકારને આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની પર કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. પાકિસ્તાનથી જસવિન્દર સિંહ મુલ્તાનીને હથિયારો મળતા હતા. 


UP: 200 કરોડનો માલિક ખખડધજ સ્કૂટર કેમ ચલાવતો હતો? લાઈફસ્ટાઈલ જાણીને ચોંકી જશો


વિસ્ફોટની ઝપેટમાં આવ્યો હતો હુમલાખોર ગગનદીપ
અત્રે જણાવવાનું કે 23 ડિસેમ્બરે પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બોમ્બ પ્લાન્ટ કરતી વખતે ધડાકો થઈ ગયો હતો અને બોમ્બ લગાવવા આવેલો પંજાબ પલીસનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ગગનદીપ વિસ્ફોટની ઝપેટમાં આવીને માર્યો ગયો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube