નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સરસંઘચાલક મોહન ભાગવતને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. યુપીના શામલી અને ઉત્તરાખંડના રૂડકી રેલવે સ્ટેશનોમાં મળેલા બે અલગ અલગ પત્રોમાં આ ધમકી અપાઈ છે. તેની પાછળ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ હોવાનું કહેવાય છે. જાનથી મારી નાખવાની ધમકી અપાયા બાદ ચૂંટણી પંચ તરફથી યોગી આદિત્યનાથની સુરક્ષા વધારવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને રેલવે સ્ટેશનો પરથી મળી આવેલા ધમકીભર્યા પત્રોમાં આ નેતાઓે મારી નાખવાની ધમકી ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને યુપીના રેલવે સ્ટેશનો અને મંદિરોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. ધમકીભર્યા પત્રમાં વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અને અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે. સુરક્ષા એજન્સીઓ આ પત્રોની તપાસ કરી રહી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...