દેવઘર: ઝારખંડના દેવઘરમાં રોપવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા.ઈન્ડિયન એરફોર્સ હવામાં અદ્ધર લટકેલા લોકોને બચાવવાની કોશિશમાં લાગી છે. રેસ્ક્યૂ વર્ક સતત ચાલુ છે. અત્યાર સુધીમાં 23 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ લગભગ 30 લોકો હવામાં અદ્ધર લટકેલી ટ્રોલીઓમાં ફસાયેલા હોવાની આશંકા છે. આશરે 2000 ફૂટની ઊંચાઈ પર હવામાં અદ્ધર ટ્રોલીમાં આ લોકો ફસાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક લોકો ફસાયેલા
ઝારખંડના દેવઘરમાં થયેલા રોપવે અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 મહિલાઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે રેસ્ક્યૂ વર્ક દ્વારા ફક્ત 23 લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા છે. હજુ પણ 30 જેટલા લોકો હવામાં ટ્રોલીમાં ફસાયેલા છે. ત્રિકુટ રોપવે અકસ્માતમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવા માટે ભારતીય સેનાના જવાન હેલિકોપ્ટર દ્વારા મદદમાં લાગેલા છે. 


ગજબ ભેજું! ઓફિસ આવ-જા કરવા એવી કાર બનાવી નાખી...માત્ર 5 રૂપિયામાં 60 કિમીની કરે છે મુસાફરી


Scary Video: પૂરપાટ ઝડપે આવતી કારે ડિવાઈડર કૂદાવી સ્કૂટીને લીધુ ઝપેટમાં, કાચાપોચા ન જુએ આ ડરામણો વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube