શ્રીનગરઃ પુલવામામાં ફરી એક વખત સેનાના કાફલાને નિશાન બનાવીને IED વિસ્ફોટ કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે કરાયેલા આ વિસ્ફોટમાં સેનાના 5 જવાન ઘાયલ થયા છે. અત્યારે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે સામ-સામો ગોળીબાર ચાલુ છે. જોકે, આતંકીઓ પોતાનો ઈરાદો પાર પાડવામાં નિષ્ફળ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામામાં અરીહાલ-લસ્સીપોરા રસ્તા પર સેનાની 44 RR (રાષ્ટ્રીય રાયફલ્સ)ની કેસ્પર વાનને ટાર્ગેટ કરીને એક હુમલો કરવામાં આવ્યો હતો. આ વાહન સુરંગી હુમલાનો પ્રતિકાર કરી શકે તેવું હતું. આતંકવાદીઓએ અરીહાલ-લસ્સીપોરાના રસ્તા પર ઈદગાહની નજીક જમીનમાં IED પાથર્યા હતા. 


આ આતંકવાદી હુમલામાં સેનાના 5 જવાન ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....