નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ) વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષે હિંસા માટે આરએસએસને જવાબદાર ઠેરવ્યું છે. તેણે સોમવારે કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસરો અમારા આંદોલનને તોડવા માટે હિંસા ભડકાવી રહ્યાં હતા. આ એક સુયોજીત હુમલો હતો. તે લોકોને બહાર કાઢી-કાઢીને મારી રહ્યાં હતા. આઇશીએ કહ્યું કે, જેએનયૂ સિક્યોરિટી અને હુમલાખોરો વચ્ચે સાઠ-ગાંઢ હતી, જેને કારણે તેમણે હિંસા રોકવા માટે કોઈ પગલા ભર્યા નથી. અમારી માગ છે કે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલરને તાત્કાલિક હટાવવામાં આવે. 


JNU હિંસાઃ દિલ્હી પોલીસની  FIRમાં શું છે, વાંચો મુખ્ય વાતો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે કહ્યું કે, જેએનયૂની લોકતાંત્રાક સંસ્કૃતિને કચડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે સફળ થશે નહીં. તેણે કહ્યું, 'વિદ્યાર્થીઓ વિરુદ્ધ લોઢાના ડંડાનો જવાબ વાદ-વિવાદ અને વાતચીતના માધ્યમથી આપવામાં આવશે. જેએનયૂની સંસ્કૃતિ સમાપ્ત થશે નહીં, તે યથાવત રહેશે.' આઇશી સિવાય જેએનયૂ છાત્ર સંઘના ઉપાધ્યક્ષ સાકેત મૂને પણ આરોપ લગાવ્યો કે જ્યારે જરૂર હતી, ત્યારે સુરક્ષા હાજર નહતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....