જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં મંગળવારે સવારે વાયુસેનાનું એક વિમાન ક્રેશ થઇ ગયું. આ અકસ્માત બનાડ પાસે દેવલિયામાં થયો. અકસ્માત બાદ ઘટનાસ્થળે પોલીસ અને ફાયરબ્રિગેડ પહોંચી ગઇ છે. ઘટનાની જાણકારી મળતાં જ વાયુસેનાના સ્ટેશન પરથી હેલિકોપ્ટર ઘટના સ્થળે રવાના થઇ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માત મંગળવારે સવારે જોધપુર નજીક દેવલિયા ગામ પાસે થયો છે. જોકે આ અકસ્માતમાં વિમાનના પાયલોટને નુકસાન થયું નથી. રિપોર્ત અનુસાર, આ અકસ્માત ટેક્નિકલ ખામીના લીધો સર્જાયો હતો. વિમાન ક્રેશ થતાં ખાલી જગ્યા પર આગ લાગી ગઇ હતી, જેને ફાયર બ્રિગેડ દ્વારા ઓલવવામાં આવી. એરફોર્સના જવાન અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. 



જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું, તેની આસપાસ બધા લોકો સુરક્ષિત છે, પરંતુ પ્લેન ક્રેશ થવાના કારણે તેમાં આગ લાગી ગઇ છે. ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.

વિસ્તૃત જાણકારી માટે રાહ જુઓ...