નવી દિલ્હીઃ યૂનેસ્કોએ રવિવારે તેલંગણામાં સ્થિત કાકતીય રૂદ્રેશ્વર (રામપ્પા મંદિર) મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી લીધું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સફળતા પર કહ્યું કે, ઉત્કૃષ્ટ! બધાને શુભેચ્છા, ખાસ કરી તેલંગણાની જનતાને. પ્રતિષ્ઠિત રામપ્પા મંદિર મહાન કાકતીય વંશના ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલ્યને પ્રદર્શિત કરે છે. હું તમને બધાને આ રામસી મંદિર પરિસરની યાત્રા કરવા અને તેની ભવ્યતાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાનો આગ્રહ કરીશ. 


મહત્વનું છે કે વારંગલ સ્થિત આ શિવ મંદિર એકમાત્ર એવુ મંદિર છે જેનું નામ તેના શિલ્પકાર રામપ્પાના નામ પર રાખવામાં આવ્યું છે. ઈતિહાસ અનુસાર કાકતીય વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરાવ્યું હતું. સૌથી મોટી વાત છે કે તે કાળમાં બનેલા ઘણા મંદિર ખંઢેર સ્થિતિમાં છે, પરંતુ ઘણી આપદાઓ છતાં આ મંદિરને કોઈ નુકસાન પહોંચ્યું નથી. આ મંદિર હજાર સ્તંભથી બનેલું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube