લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ના પરિજનો આજે લખનઉ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યાં. આ મામલે પોલીસે અત્યાર સધી 6 લોકોને પકડ્યા છે અને પૂછપરછ ચાલુ છે. એવું કહેવાય છે કે સીએમ યોગી આદિત્યનાથે કમલેશ તિવારીના પરિજનોની તમામ માગણીઓ સ્વીકારી લીધી છે. લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત બાદ કમલેશ તિવારીના પત્ની કિરણ તિવારીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમને આશ્વાસન આપ્યું છે કે ન્યાય થશે. અમે હત્યારાઓ માટે મૃત્યુદંડની માગણી કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેમને સજા ચોક્કસ મળશે. 


ભારતીય સેનાએ PoKની નીલમ ઘાટીના 4 આતંકી લોન્ચ પેડ તોપથી ઉડાવ્યાં, PAK સેનાની અનેક પોસ્ટને નુકસાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...