MLA Abhijeet Singh Sanga Controversial Statement: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ દરમિાયન કાનપુરના બિઠુરથી ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગાએ એક વિવાદિત નિવેદન આપ્યું. અભિજીત સાંગાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. તેમણે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો પર નિવેદન આપ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના વિધાયક અભિજીત સિંહ સાંગાએ એક ટ્વીટ  કરી જેમાં લખ્યું છે કે દુર્યોધને પાંચ ગામ નહતાં આપ્યા અને તેમણે આખું સામ્રાજ્ય ગુમાવવું પડ્યું હતું. અમે ત્રણ મંદિર માંગ્યા હતા અને તમને ન માન્યા. હવે તૈયાર રહો, બધા મંદિર પાછા લઈશું. અત્રે જણાવવાનું કે ભાજપના આ ધારાસભ્ય અભિજીત સિંહ સાંગા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube