નવી દિલ્હી, બેંગ્લુરુ: કર્ણાટકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. લગભગ એક ડઝન જેટલા ધારાસભ્યોના રાજીનામાના કારણે મુશ્કેલીમાં મુકાયેલી કોંગ્રેસ જેડીએસની સરકાર હવે શક્તિ પરિક્ષણ કરવા જઈ રહી છે. આ બધા વચ્ચે બે બળવાખોર ધારાસભ્યો રાજીનામા પાછા ખેંચી તેવી શક્યતા છે. નારાજ કોંગ્રેસ ધારાસભ્યો એમટીબી નાગરાજે કહ્યું છે કે મે અને સુધાકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. મારી પાર્ટીના તમામ નેતાઓએ મને કહ્યું છે કે મારે મારી પાર્ટીમાં જ રહેવું જોઈએ. આથી મેં નિર્ણય લીધો છે કે હું મારું રાજીનામું પાછું ખેંચીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરાજે કહ્યું કે હું સુધાકરને પણ સમજાવીશ. મને પૂરેપૂરી આશા છે કે તેઓ પણ પોતાનું રાજીનામું પાછું ખેંચશે. આમ બે ધારાસભ્યો પોતાના રાજીનામા પાછા ખેંચશે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અને જેડીએસના 10 ધારાસભ્યો હજુ પણ મુંબઈમાં છે અને રાજીનામું આપવાની જીદ પર અડેલા છે. 


આ તાજા ઘટનાક્રમ પર કર્ણાટક કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું કહેવું છે કે અમને આશા છે કે અમે અમારા તમામ એમએલએને મનાવી લઈશું. શક્તિ પરિક્ષણ વખતે અમે બધા સાથે હોઈશું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...