બેંગલુરુ: રામનવમીના અવસરે નીકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ કર્ણાટકમાં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. અહીં રામનવમીના અવસરે શોભાયાત્રા નીકળી રહી હતી. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો જેના કારણે તણાવ પેદા થયો. હાલમાં જ રાજસ્થાનના કરૌલીમાં પણ હિન્દુ સમુદાય તરફથી કાઢવામાં આવેલા સરઘસ પર પથ્થરમારો કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવો આરોપ છે કે રામનવમીના અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તે વખતે આ શોભાયાત્રા જહાંગીર મહોલ્લામાંથી પસાર થઈ રહી હતી. કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો જેના કારણે તણાવની સ્થિતિ પેદા થઈ. ઘટનાસ્થળે હાજર પોલીસે હળવો બળ પ્રયોગ કરતા સ્થિતિને કાબૂમાં લીધી. હાલ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત કરાયો છે. જો કે સ્થિતિ નિયંત્રણમાં છે. 


Indian Railways: રેલવે ટ્રેક પર W/L અને સી/ફા લખેલા બોર્ડ જોયા છે? તેનો અર્થ ખાસ જાણો નહીં તો પસ્તાશો


અત્રે જણાવવાનું કે રાજસ્થાનના કરૌલીમાં પણ નવ સંવત્સરના અવસરે કાઢવામાં આવેલી બાઈક રેલી બાદ હિંસા ભડકી હતી. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કર્યા બાદ પેદા થયેલા સાંપ્રદાયિક તણાવના પગલે આગચંપી અને હિંસાની ઘટનાઓ ઘટી હતી. 


એક સાથે 6 બહેનપણીઓએ ઝેર ખાઈ લીધુ, 3 ના મોત અને 3ની હાલત ગંભીર, કારણ જાણી ધ્રાસકો પડશે


આ દરમિયાન રેલીમાં સામેલ લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ લગભગ 100-150 લોકોએ લાકડી અને ડંડા લઈને હુમલો કરવાનો શરૂ કર્યો હતો. આ હુમલામાં 11 લોકોની સાથે 8 પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 23 ઉપદ્રવીઓની ધરપકડ કરી છે. આગળ તપાસ ચાલુ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube