નવી દિલ્હી : પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કે સ્વીટી જેવી સુપરહીટ ફિલ્મો આપી ચૂકેલ કાર્તિક આર્યને વેલેન્ટાઈન વિક દરમિયાન પોતાના દિલની વાત કહી હતી અને પોતાના અફેરનો ખુલાસો કર્યો હતો. આર્યનનું કહેવું છે કે, તેનું એકમાત્ર સમર્પિત સંબંધ તેના કામ અને ફેન્સ સાથે છે. એક્ઝિબિટ પત્રિકાના ફેબ્રુઆરી અંક માટે કાર્તિકને વેલેન્ટાઈન ડેના તેના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે કહ્યું કે, હું ‘પતિ પત્ની ઔર વો’નું શુટિંગ કરી રહ્યો હોઈશ અને સાથે જ લુકા છૂપીના પ્રચારમાં પણ બિઝી રહેશે. ઈમાનદારીથી કહ્યું કે, મારું સમર્પણ મારુ કામ અને પ્રશંસકોથી છે. મારા જીવનમાં હાલના સમયમાં કોઈ પણ નથી. હું ખુશ છું અને આનંદ લઈ રહ્યો છું.


તેણે કહ્યું કે, હું કહેવા માંગીશ કે જો તમને લાગે છે કે તમને તમારો જીવનસાથી મળી ગયો છે, તો તેની સાથે સમય વિતાવો. તેનું ધ્યાન રાખો, ઈમાનદાર બનો, અને જેટલુ શક્ય હોય તેને વધુ પ્રેમ કરો. તેઓ કહે છુ કે, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ફિલ્મ તેમના માટે જિંદગી બદલનારો અનુભવ રહ્યો છે.