લખનૌ: પ્રસિદ્ધ કથક કલાકાર પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. પદ્મ વિભૂષણથી સન્માનિત 83 વર્ષના બિરજુ મહારાજે રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અંતિમ શ્વાસ લીધા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી. 


PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત બિરજુ મહારાજના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય નૃત્યકળાને વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ અપાવનારા પંડિત બિરજુ મહારાજના નિધનથી અત્યંત દુ:ખ થયું છે. તેમનું જવું એ સંપૂર્ણ કળા જગત માટે એક અપૂર્ણીય ક્ષતિ છે. શોકની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિજનો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube