નવી દિલ્હીઃ કેરલ સરકારે કોરોના વાયરસને પોતાના પ્રદેશમાં રાજકીય આપત્તિ જાહેર કરી છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ સોમવારે સાંજે કહ્યું કે, મુખ્યપ્રધાન પિનારઈ વિજયનના આદેશ પર તેની જાહેરાત કરવામાં આવી છે. અલપુઝા એનઆઈવીમાં આ બીમારીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ જિલ્લામાં આ બાબતે યોગ્ય પગલા ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકાર તે લોકોનું લિસ્ટ બનાવી રહી છે જે વુહાનથી પરત આવ્યા છે. તેના માટે ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટ સાથે સંપર્ક કરવાની તૈયારી છે. દરેક શંકાસ્પદ દર્દી પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 0


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...