નવી દિલ્હી: 4 રાજ્યોમાં પૂરનો કેર ચાલુ છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. 4 રાજ્યોમાં વરસાદના કારણે અત્યાર સુધી 194 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં પણ પૂરનો કેર ચાલુ છે. મધ્ય પ્રદેશના અનેક જીલ્લાઓ ભીષણ પૂરની ચપેટમાં છે. અહીં 32 લોકોના મોતના અહેવાલ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરના કારણે એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે રસ્તાઓ પર ગાડીઓ દોડતી હતી ત્યાં આજે નાવડીઓ ચાલે છે. શહેરની દુકાનો, બાજર, મોલ બધુ સેલાબમાં ગુમ થઈ ગયું છે. કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને કહ્યું કે આઠ પ્રભાવિત જિલ્લાઓમાં ભૂસ્ખલનની 80 ઘટનાઓની સૂચના મળી છે. જેનાથી સહુથી વધુ ક્ષતિ થઈ છે. વાયનાડ જિલ્લાના મેપ્પાદી, મલ્લપુરમ જિલ્લાના કવલપારા પણ સામેલ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...