તિરુવનંતપુરમ: કેરળના કોફિકોડમાં દુબઇથી આવી રહેલા એક વિમાન કરીપુર એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રનવે પર લપસી જવા બાદ વિમાનના આગળના ભાગમાં બે ટુકડા થઇ ગયા. વિમાનમાં 191 યાત્રી સવાર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરીપુર વિમાન દુર્ઘટનાને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનથી ફોન પર વાત કરી હતી. સીએમ વિજયને પ્રધાનમંત્રીને જાણકારી આપી કે, કોઝિકોડ અને મલપ્પુરમના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અને IG અશોક યાદવની સાથે અધિકારીઓની ટીમ એરપોર્ટ પહોંચ્યા છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.


આ પણ વાંચો:- દુબઇથી કેરળ આવતા એર ઇન્ડિયાના વિમાનના બે ટુકડા, 11 લોકોના મોત


15 ઓગસ્ટના PM મોદી કરી શકે છે આ મોટી યોજનાની જાહેરાત, આ દિવસ સુધી રહેશે લાગૂ


એર લાઇન્સના પ્રવક્તા અનુસાર દુબઇથી આવી રહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના કોઝિકોડ એરપોર્ટ પર લપસવાના કારણે દુર્ઘટના સર્જાઇ. ફ્લાઇટIX 1344 સાજે લગભગ 7.40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ છે.


સુશાંત સિંહ કેસ: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી અરજી, પક્ષકાર બનાવવાની કરી માંગ


પીએમ મોદીએ આ દુર્ધટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, કોઝિકોડ વિમાન દુર્ધટનાથી આહત છે. મારી સંવદેના તે લોકોની સાથે છે જેમણે પ્રિયજનોની આ દુર્ધટનામાં ગુમાવ્યા છે. જે લોકો દુર્ધટનામાં ઘાયલ છે. જલ્દી જલ્દી સાજા થઇ જશે. આ વિશે કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. અધિકારી ઘટનાસ્થળ પર છે અને પ્રભાવિત લોકોને તમામ સંભવ મદદ પહોંચાડવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube