નવી દિલ્હીઃ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ કે, રાહુલ ગાંધી ન માત્ર ભારતીય સેનાનું અપમાન કરી રહ્યાં છે, પરંતુ દેશની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત સરકાર સુતી છે અને ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તવાંગમાં સૈનિકો વચ્ચે પહોંચ્યા રિજિજૂ
આ સાથે કેન્દ્રીય મંત્રી રિજિજૂએ તવાંગમાં યાંગ્ત્સે ક્ષેત્રનો પ્રવાસ કર્યો, જ્યાં ચીની અને ભારતીય સૈનિકોનું ઘર્ષણ થયું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અરૂણાચલના તવાંગમાં યાંગ્ત્સે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અરૂણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ચીની સૈનિક અને ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ચીને પછળાટ ખાવી પડી હતી. ભારતીય સેનાએ ચીની સેનાને વળતો જવાબ આપ્યો હતો. 


મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી, 22 લોકોને હોસ્પિટલ ખસેડાયા


તવાંગના યાંગ્ત્સે વિસ્તારમાં આવેલા છે ઘણા પવિત્ર ઝરણા
કિરણ રિજિજૂએ કહ્યુ કે યાંગ્ત્સેની નીચે સ્થિત એક અદ્ભુત નજારો છે. તેને ચુમી ગ્યાત્સેના નામથી ઓળખવામાં આવે છે, જ્યાં 108 પવિત્ર પાણીના ઝરણા છે, જે ઉંચા પહાડો વચ્ચેથી નિકળે છે. તેમણે કહ્યું કે, તેને ગુરૂ પદ્મસંભવના આશીર્વાદ માનવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube