નવી દિલ્હીઃ કોલકાતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન જે હિંસા ફેલાઈ હતી એ દરમિયાન અહીંની કોલેજના પરિસરમાં આવેલી મહાન દાર્શનિક, સમાજ સુધારક અને લેખક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી. આ પ્રતિમા તોડી નખાયા બાદ ટીએમસી અને ભાજપ બંને એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૃણમુલ કોંગ્રેસે ભાજપ પર પ્રતિમા તોડવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની ટ્વીટર એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો બદલીને ઈશ્વરચંદ્ર વિદ્યાસગરના ફોટાને નવો પ્રોફાઈલ ફોટો બનાવી લીધો છે. જોકે, અમિત શાહે પત્રકાર પરિષદમાં ટીએમસીના આ તમામ આરોપોને ખોટા ઠેરવીને કેટલાક સવાલ ઉઠાવ્યા છે. 


ભારતના વધુ સમાચાર વાંચવા માટે અહીં કરો ક્લિક...