નવી દિલ્હીઃ મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી કે પછી બાપુ, તમે જે કોઈ નામથી તેમને બોલાવો, ગાંધીજી દરેક સમયે પ્રસ્તુત છે, પછી તે સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય.... બાપુને દરેક સમયે લોકો યાદ કરતા રહે છે. મહાત્મા ગાંધી એ વ્યક્તિ છે, જેમની તસવીરનો ભારતીય ચલણમાં ટ્રેડમાર્ક તરીકે ઉપયોગ કરાયો છે. ચલણી નોટ પરથી ગાંધીજીની તસવીર દૂર કરવાની અનેક વખત માગ થતી રહી છે, પરંતુ RBIએ આ પગલું ક્યારેય ભર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરન્સી ટ્રેડમાર્ક છે ગાંધીજી
ભારતની ચલણી નોટો પર ગાંધીજીની તસવીર મુકવામાં આવેલી છે. દેશી કાળ પર છપાતી નોટો પર પણ આ તસવીર અંકિત કરેલી છે. સવાલ એ છે કે ગાંધીજીની તસવીર આવી ક્યાંથી, જે ઐતિહાસિક અને ભારતીય ચલણી નોટનો ટ્રેડમાર્ક બની ગઈ. હકીકતમાં, આ માત્ર પોટ્રેટ ફોટો નથી, પરંતુ ગાંધીજીની સંલગ્ન તસવીર છે. આ તસવીરમાંથી જ ગાંધીજીનો ચહેરો પોટ્રેટના સ્વરૂપમાં લેવાયો છે. 


ક્યાંની છે તસવીર?
આ તસવીર એ સમયે ખેંચવામાં આવી હતી, જ્યારે ગાંધીજીએ તત્કાલિન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કામ કરતા ફ્રેડરિક પેથિક લોરેન્સ સાથે કોલકાતા ખાતેના વાઈસરોય હાઉસમાં મુલાકાત કરી હતી. એ તસવીરમાંથી જ ગાંધીજીનો ચહેરો પોટ્રેટ તરીકે ભારતીય ચલણી નોટોમાં ઉપયોગમાં લેવાય છે. 


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કર્યો હતો ફેરફાર 
આપણે આજે ભારતીય નોટો પર ગાંધીજીની જે તસવીર જોઈએ છી, ત્યાં પહેલા અશોક સ્તંભ રહેતો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 1996માં ચલણી નોટોમાં પરિવર્તન કરવાનો નિર્ણય લેવાયો હતો. તેના અનુસાર અશોક સ્તંભના સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ફોટો અને અશોક સ્તંભનો ફોટો નોટની નીચે ડાબી બાજુએ મુકવામાં આવ્યો હતો. અત્યારે સુધી રૂ.5 થી રૂ.1000ની નોટમાં ગાંધીજીનો ફોટો દેખાતો હતો. 1987માં જ્યારે રૂ.500ની નોટ પ્રથમ વખત ચલણમાં આવી ત્યારે તેમાં ગાંધીજીનો વોટરમાર્ક ઉપયોગ કરાયો હતો. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...