જમ્મુઃ કાશ્મીરના કુલગામના દેવસરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ખતમ થઈ ચુકી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાના આ સંયુક્ત અભિયાન દરમિયાન લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનના બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. માર્યા ગયેલા આતંકીઓમાં એક વિદેશી પાકિસ્તાનનો રહેનારો આતંકી અને એક સ્થાનીક આતંકી સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરના આઇજી વિજય કુમારે જણાવ્યુ કે કુલગામના દેવસના ચીયાન નામના ક્ષેત્રમાં હવેલી સવારે શરૂ થયેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. માર્યા ગયેલા બે આતંકીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાનના હૈદરના રૂપમાં થઈ છે. તે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનનો કમાન્ડર હતો. અથડામણમાં ઠાર કરાયેલો બીજો આતંકી સ્થાનીક છે અને તેની ઓળખ શહબાઝ શાહ નિવાસી કુલગામના રૂપમાં થઈ છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 


Pallavi Patel's Husband Resigns: કેશવ પ્રસાદ મૌર્યને હરાવનાર પલ્લવી પટેલને ઝટકો, પતિએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ


જમ્મુ-કાશ્મીર પોલીસે ઇન્ટરનેટ મીડિયા પર અથડામણની જાણકારી આપી છે. પોલીસે ટ્વીટ કર્યુ કે કુલગામના દેસવર સ્થિત ચીયાન નામના ક્ષેત્રમાં અથડામણ ચાલી રહી છે અને આતંકીઓનો ખાતમો કરવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube