નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની હાલત અત્યારે ખુબ નાજુક કહેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ અરણ જેટલીને એક્સ્ટારકારપોટરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન (IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનું હ્રદય અને ફેફસા પણ બરાબર કામ કરતા નથી. જેટલીના હાલચાલ જાણવા માટે તમામ મોટા નેતા એમ્સ પહોંચી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી પણ એમ્સ પહોંચ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના અનેક નેતાઓ અહીં એમ્સ તેમના હાલચાલ જાણવા માટે પહોંચ્યાં. તેમના હાલ જાણવા માટે એમ્સ પહોંચેલા લોકોમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રા, આરએસએસના સંયુક્ત સચિવ કૃષ્ણ ગોપાલ, પૂર્વ સમાજવાદી નેતા અમર સિંહ સામેલ હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહ મંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે એમ્સ જઈને હાલ જાણ્યા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...