પટણા: એલજેપી સાંસદ અને રામવિલાસ પાસવાનના ભાઈ રામચંદ્ર પાસવાનનું નિધન થયું છે. તેમણે દિલ્હીના રામમનોહર લોહિયા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. છેલ્લા કેટલાય સમયથી તેમની સ્થિતિ નાજુક હતી. રવિવાર બપોરના તેમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિરાગ પાસવાને પણ રામચંદ્ર પાસવાનના નિધન અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. કહેવાય છે કે રામચંદ્ર પાસવાને દિલ્હી સ્થિત ઘરે રાતના છાતીના દુ:ખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રામવિલાસ પાસવાન પણ તેમના હાલ પૂછવા ગયા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...