નવી દિલ્હી: કોરોના વાયરસ સામિે લડવા માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ પહેલા જે નિર્ણયને વખાણ્યો હવે તેને વખોડ્યો. તેમણે કહ્યું કે 21 દિવસનું આ લોકડાઉન ઉતાવળમાં લેવાયેલો નિર્ણય છે. અગાઉ આ જ નિર્ણયનું તેમણે સમર્થન કર્યું હતું. સોનિયાએ હવે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં સરકાર પર પ્રહારો કર્યા છે. સોનિયાની સાથે સાથે રાહુલ ગાંધીએ પણ લોકડાઉન પર સવાલ ઉઠાવ્યાં અને પ્રવાસી મજૂરોને પડેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: ચોંકાવનારો ખુલાસો, તબલિગી જમાતના લોકો શાહીન બાગ પ્રદર્શનમાં પણ પહોંચ્યા હતાં


વીડિયો કોન્ફરન્સિંગથી થયેલી આ બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે લોકડાઉન જરૂરી હોઈ શકે છે પરંતુ તેના અનિયોજિત અમલીકરણથી લાખો પ્રવાસી મજૂરોને પરેશાની અને તકલીફ ઉઠાવવી પડી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના વાયરસ લોકડાઉનના કારણે ઊભા થયેલા હાલાતને પહોંચી વળવા માટે સરકારે એક વિસ્તૃત રણનીતિ બનાવવાની જરૂર હતી. 


મુંબઈ પર મોટું જોખમ, અત્યંત ગીચ વસ્તીવાળા ધારાવીમાં પહોંચી ગયો જીવલેણ કોરોના વાયરસ


સોનિયાએ કહ્યું કે ટેસ્ટિંગનો ઓપ્શન નથી
ભારત સામે કોરોના વાયરસના રૂપમાં એક મોટી સમસ્યા ઊભી છે પરંતુ તેને હરાવવા માટે આપણી ઈચ્છા શક્તિ વધુ મોટી હોવી જોઈએ. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે આ વાત કરી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ સોનિયા ગાંધીનું એક નિવેદન જાહેર થયું. જેમાં તેમણે જણાવ્યું કે આ બેઠક મોટા સ્વાસ્થ્ય અને માનવીય સંકટ વચ્ચે થઈ, જેમાં કોરોના વાયરસ પર ચર્ચા થઈ. સોનિયાએ કહ્યું કે કોરોનાને હરાવવા માટે સતત અને વિશ્વસનિય ટેસ્ટિંગનો કોઈ વિકલ્પ નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube