નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે આપ સાથે ગઠબંધનને લઈને તેમની વાતચીત નિષ્ફળ ગઈ છે કારણ કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ ચાર રાજ્યોમાં ગઠબંધન મુદ્દે એક 'અવ્યવહારિક વલણ' અપનાવેલું છે. જો કે તેણે દિલ્હીમાં બંને પક્ષો વચ્ચે ચૂંટણી સમજૂતિની સંભાવનાઓને હજુ પણ જીવિત હોવાના સંકેત આપ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના દિલ્હી મામલાના પ્રભારી પીસી ચાકોએ જાહેરાત કરી કે પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીની તમામ સાતેય  લોકસભા બેઠકો  પર એકલા હાથે ચૂંટણી લડશે. જો કે તેમણે સંકેત આપ્યાં કે તેઓ હજુ પણ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે આ ગઠબંધન ફક્ત દિલ્હી સુધી સિમિત રહે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...