પીલીભીત: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પીલીભીત સંસદીય મતવિસ્તારમાં પ્રચાર કરવા પહોંચેલા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ખળભળાટ મચી ગયો છે. વરુણ ગાંધીએ એક સભાને સંબોધિત કરતા કહ્યું કે 'મારા પરિવારના પણ કેટલાક લોકો વડાપ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ જે સન્માન નરેન્દ્ર મોદીએ દેશને અપાવ્યું છે તે બહુ લાંબા સમયથી કોઈએ દેશને અપાવ્યું નથી.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીને દેશની ચિંતા
વડાપ્રધાન મોદીના વખાણ કરતા વરુણ ગાંધીએ કહ્યું કે તે માણસ જીવી રહ્યો છે તો ફક્ત દેશ માટે અને મરશે તો પણ ફક્ત દેશ માટે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફક્ત દેશની જ ચિંતા છે. 


અગાઉ પણ કરી ચૂક્યા છે પીએમ મોદીના વખાણ
આ કોઈ પહેલીવાર નથી બન્યું કે વરુણ ગાંધીએ ભરપેટ મોદીના વખાણ કર્યા હોય. આ અગાઉ  પણ વરુણ ગાંધીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે દેશને લાંબા સમય બાદ એવા વડાપ્રધાન મળ્યા છે કે તેમના અંગે છાતી ઠોકીને બોલી શકીએ  કે અમારી પાસે આવા વડાપ્રધાન છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...