નવી દિલ્હીઃ લોકસભામાંથી અયોગ્ય જાહેર થયા બાદ હવે લોકસભા આવાસ સમિતિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલો બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ માહિતી આપી છે. 


23 એપ્રિલ સુધી પોતાનો સરકારી બંગલો ખાલી કરવો પડશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે પૂર્વ સાંસદ થઈ ગયા છે. અત્યાર સુધી રાહુલ ગાંધી કેરલની વાયનાડ સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતા, પરંતુ લોકસભા સચિવાલયે શુક્રવારે નોટિફિકેશન જાહેર કરી તેમનું સભ્યપદ રદ્દ કરી દીધુ હતું. હાલ રાહુલ ગાંધી 12 તુગલક લેનવાળા સરકારી બંગલામાં રહે છે. નોટિસ અનુસાર રાહુલ ગાંધીએ 23 એપ્રિલ સુધી પોતાનું સરકારી આવાસ ખાલી કરવું પડશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube