નવી દિલ્હીઃ 17મી લોકસભા માટે યોજાયેલી 2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ 7 તબક્કાના મતદાન પછી આજે સવારે 23 મેના રોજ 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે અને  અડધા કલાકના અંદર જ ટ્રેન્ડ દેખાવાનો શરૂ થઈ જશે અને પછી તેના થોડા સમયમાં પરિમામ આવવા લાગશે. લોકસભાની 542 સીટ પર 8,000થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને આ વખતે અત્યાર સુધીનું સૌથી વધુ 67.11 ટકા મતદાન નોંધાયું હતું. 90.99 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે ભારતની લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ સખ્યા હતી. આ વખતે લોકસભાનું પરિણામ મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ થાય તેવી સંભાવના છે, કારણ કે, આ વખતે પ્રથમ વખત EVM મશીનની સાથે વોટર-વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ સ્લીપ (VVPAT)ની પણ સરખામણી થવાની છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચની આ મોબાઈલ એપ પર જાણો લોકસભા ચૂંટણી 2019નો ટ્રેન્ડ, પરિણામ


લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી દરેક વિધાનસભા બેઠકના 5 મતદાન મથકો પર હાથ ધરવામાં આવશે. એટલે કે લગભગ 10.3 લાખ મતદાન મથકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. આવા 20,600 દરેક મતદાન મથક પર EVM-VVPAT મશીન ગોઠવી દેવાયા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટેના કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે તેના અંતિમ આંકડા આપવામાં નથી આવ્યા, એટલે ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. 


Gujarat Election Result Live : આજે આતુરતાનો આવશે અંત, 26 બેઠકો પરથી સૌથી ઝડપી અપડેટ જુઓ અહીં


સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી
ચૂંટણી પંચ દ્વારા સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે ડ્યૂટી પર તહેનાત મતદારો (સર્વિસ વોટર્સ)ની સંખ્યા લગભગ 18 લાખ છે. જેમાં સશસ્ત્ર દળો, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસ ફોર્સના જવાનો સામેલ છે જે પોતાના સંસદીય મતવિસ્તારથી બહાર તહેનાત છે. વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પદસ્થ રાજનયિક અને કર્મચારીઓ પણ સેવા મતદારો છે. આ 18 લાખ રજિસ્ટર્ડ મતદારોમાંથી 16.49 લાખ મતદારોએ 17મી મેના રોજ પોતાના રિટર્નિંગ અધિકારીઓને પોસ્ટ દ્વારા મતપત્ર મોકલી દીધો હતો.  


લોકસભાની 543 સીટમાંથી 542 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી, જેનું કારણ અહીં મતદારોને રીઝવવા માટે નાણાનો ઉપયોગ થવાની ફરિયાદો હતી. ચૂંટણી પંચ દ્વારા વેલોર બેઠક માટેની લોકસભા ચૂંટણીની તારીખ હજુ જાહેર કરાઈ નથી. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત દેશભરમાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. 


લોકસભા ચૂંટણી 2019ના પરિણામની લાઈવ અપડેટ્સ માટે અહીં નીચે જોતા રહો....


12.30 PM : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બપોરે 2.00 કલાકે દિલ્હીના કાર્યાલય ખાતે જશે. 


12.20 PM : લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં 542 સીટનો હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં અત્યારે ભાજપના નેતૃત્વવાળુ ગઠબંધન એનડીએ 346 સીટથી વધુ આગળ છે. જેની સામે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન યુપીએ 88 સીટ પર લીડ મેળવી રહ્યું છે. અન્ય પક્ષો 108 સીટ પર આગળ ચાલી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીનો સફાયો થયો છે. તો ઓડીશા વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળે પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. 


12.15 PM : ભાજપના દિલ્હી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એક્ઠા થઈને ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે. ભાજપના કાર્યાલય તરફ જતા તમામ માર્ગો બ્લોક કરી દેવાયા છે. 


12.10 PM: ભોપાલ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર કોંગ્રેસના દિગ્વિજય સિંઘ સામે લીડ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, લોકોએ ફરી વખત ભાજપમાં વિશ્વાસ મુક્યો છે અને હું તેના માટે લોકોનો આભાર માનું છું. 


લોકસભા ચૂંટણી 2019 પરિણામના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...