જમ્મુ: હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બનેલા CDS જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક અસંવેદનશીલ કમેન્ટ્સ અને રિએક્શન સામે આવ્યા હતા. જેમાંથી કેટલાક વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ. આ બધા વચ્ચે લેફ્ટેનન્ટ જનરલ ડીપી પાંડેએ ખુબ જ ચોંકાવનારી વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે દેશના જવાનની શહાદત પર સૌથી વધુ ખુશ કોણ થાય છે. તેમણે આવા લોકોને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા છે. 


કાશ્મીરમાં આયોજિત કાર્યક્રમમાં બોલ્યા
કાશ્મીરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા લેફ્ટેનન્ટ જનરલ ડીપી  પાંડેએ કહ્યું કે દેશના સૌથી મોટા દુશ્મન સફેદપોશ આતંકવાદી છે. તેઓ આપણા જવાનના મોત પર ખુશ થાય છે. બુધવારે શ્રીનગરમાં કાર્યક્રમને સંબોધન કરતા લેફ્ટેનન્ટ જનરલ પાંડેએ કહ્યું કે 'કાશ્મીરમાં કોઈ પણ જવાન કે યુથના મોતથી દેશના દુશ્મન જ ખુશ થાય છે. તેમાંથી એક મોટો સમૂહ છે જેમને હું સફેદપોશ આતંકવાદી (white-collared terrorists) કહું છું.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube