નવી દિલ્હી : લખનઉમાંસુન્ની સોશિયલ ફોરમે બકરી ઇદ પ્રસંગે બકરા નહી હલાક કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. બકરીઇદ પ્રસંગો ફોરમના સભ્ય બકરાના આકારની કેક કાપશે. આ કાર્યક્રમમાં લખનઉના મેયર સંયુક્તા ભાટિયા સહિત પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પણ હાજર રહ્યા. આ દરમિયાન મેયર અને સ્વામીએ જીવ હત્યાને ખોટી ગણાવી છે અને જીવ હત્યા કર્યા વગર બકરી ઇદ મનાવવાની ભલામણ કરી હતી.
હવે મુંબઇની હોટલે 2 બોઇલ ઇંડા માટે વસુલ્યા 1700 રૂપિયા
નેહરૂ યુવા કેન્દ્રમાં આયોજિત કાર્યક્રમમાં સુન્ની સોશિયલ ફોરમ (લખનઉ) ના અધ્યક્ષ ઠાકુર રાજા રઇસે કહ્યું કે, અમારા ગેસ્ટે જીવ હત્યાને પાપ ગણાવ્યું અને તેના કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ દર્શાવ્યા છે. આ કારણે જીવ હત્યા ન કરવી જોઇએ. આ વાત બકરીઇદ પ્રસંગે ફોરમના સભ્યો બકરાનાં આકારની કેક કાપશે.


ભારતે પાકિસ્તાનને આપ્યો કડક જવાબ, સમજોતા લિંક એક્સપ્રેસનું સંચાલન રદ્દ
CBSEએ પરીક્ષા ફીમાં કર્યો વધારો, વિદ્યાર્થીઓએ 50ના બદલે 1200 ચુકવવા પડશે
બકરી ઇદ ઉલ અજહા 12 ઓગષ્ટે છે. ઇસ્લામનાં પવિત્ર પુસ્તક કુરાનમાં બકરીઇદનું સ્પષ્ટ વર્ણન મળે છે. એવું જણાવાઇ રહ્યું છે કે, અલ્લાહે એક દિવસ હજરત ઇબ્રાહિમના સપનામાં તેની સૌથી પ્રીય વસ્તુની કુર્બાની માંગી હતી. હજરત ઇબ્રાહિમ પોતાનાં પુત્રને ખુબ જ પ્રેમ કરતા હતા, જેથી તેમણે પોતાનાં પુત્રની કુર્બાની આપવાનો નિર્ણય કર્યો. અલ્લાહનો હુકમ માનતા હજરત ઇબ્રાહિમે પોતાની આંખો પર પટ્ટી બાંધીને પોતાના પુત્રની કુર્બાની આપી દીધી. પરંતુ જ્યારે તેમણે પટ્ટી ખોલી તો તેમનો પુત્ર જીવીત હતો અને ત્યાં એક બકરો કપાયેલો પડ્યો હતો. ત્યારથી ઇસ્લામમાં બકરી ઇદ મનાવવાનું પ્રચલન ચાલુ થઇ ચુકંયું છે.