લખનઉ: આરએસએસ (RSS) ચીફ મોહન ભાગવત (Mohan Bhagwat) ના જનસંખ્યા નિયંત્રણવાળા નિવેદન પર શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી ( Wasim Rizvi) એ પ્રતિક્રિયા આપી છે. રીઝવીએ સોમવારે કહ્યું કે 'જાનવરોની જમ વધુ બાળકો પેદા કરવા એ સમાજ અને હિન્દુસ્તાનની વધતી વસ્તી માટે ખરાબ વસ્તુ છે.' તેમણે કહ્યું કે 'વધુ બાળકોનો બોજ પરિવાર માટે ખતરનાક છે. તેમણે કહ્યું કે દેશમાં ટુ ચાઈલ્ડ પોલીસી જલદી લાગુ થવી જોઈએ.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ચૂંટણી: BJPએ બીજી યાદી બહાર પાડી, કેજરીવાલ વિરુદ્ધ આ યોદ્ધા પડ્યા મેદાને


રિઝવીએ લખનઉમાં કહ્યું કે 'કેટલાક લોકોનું માનવું છે કે બાળકો પેદા થવા એક કુદરતી છે અને તેને રોકવું જોઈએ નહીં. પરંતુ આપણે એ સમજીએ છીએ કે જાનવરોની જેમ વધુ બાળકો પેદા કરવા એ સમાજ અને હિન્દુસ્તાનની વધતી જનસંખ્યા માટે પણ ખરાબ છે.' તેમણે કહ્યું કે 'જો તમારે બે બાળકો હોય તો તમે તેમને સારી તાલિમ આપી શકો છો. તેમને સારું શિક્ષણ આપીને તેમનું ભવિષ્ય સવારી શકો છો.' 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...