ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ભીષણ આગ લાગી. આ હ્રદયદ્રાવક ઘટનામાં ચાર બાળકોના મોત થયા છે. કહેવાય છે કે જે વોર્ડમાં આગ લાગી ત્યાં 40 બાળકો હતા જેમાંથી 36 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. ઘટના સ્થળ પર ફાયરની 12 ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. સૂચના મળતા જ ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ પણ હોસ્પિટલ પહોંચ્યા. ઘટનાસ્થળ પર મોડી રાત સુધી અફરાતફરીનો માહોલ રહ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube