ભોપાલ : મધ્યપ્રદેશનાં ચૂંટણી પરિણામોમાં જીત પ્રાપ્ત કર્યા બાદ હવે કોંગ્રેસ રાજ્યની જનતા ખાસ કરીને ખેડૂતોને અપાયેલા વચનો પુરા કરવાના પ્રયાસો કરવા લાગી છે. તેની તૈયારી શપથગ્રહણ સમરોહ પહેલા જ કરી લેવામાં આવી છે. કોંગ્રેસે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને 10 દિવસની અંદર દેવામાફીની જાહેરાત કરી હતી, જેને પુર્ણ કરવા માટે સંબંધિત મંત્રાલયની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MP LIVE: આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે કમલનાથ, કાલે શપથની શક્યતા...

મળતી માહિતી અનુસાર સહકારી વિભાગ દ્વારા તમામ સહકારી બેંકોને પત્ર મોકલીને ખેડૂતોનાં બાકી દેવા પર હાલમાં રહેલ લોન અને સમયાંતરનાં વ્યાજની માંગણી કરી છે. સુત્રો અનુસાર જુન 2009 બાદનાં દેવાદાર ખેડૂતોને ફાયદો થશે. દેવામાંફીથી સરકારને 20 હજાર કરોડ રૂપિયાની આર્થિક ભારત આવવાનું અનુમાન છે. દેવામાફીથી પ્રદેશનાં 33 લાખ ખેડૂતોને ફાયદો પ્રાપ્ત થશે. 


આનંદો: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે સદનમાંથી પાસ...

સુત્રો અનુસાર માત્ર સહકારી બેંકોનાં દેવાને જ માફ કરવામાં આવસે. દેવામાફી કુલ 2 લાખ રૂપિયા સુધીની રહેશે. જો કે સંપુર્ણ નિર્ણય નવી સરકાર આવ્યા બાદ જ લેવામાં આવશે. પરંતુ હાલ આ પ્રકારનાં ખેડૂતોની યાદી અલગથી તૈયાર કરવામાં આવી રહી છે.