સિધી: મધ્ય પ્રદેશના સિધીમાં આજે સવારે ભયાનક અકસ્માત થયો. સતના જઈ રહેલી મુસાફર બસ નહેરમાં ખાબકી, અત્યાર સુધીમાં નહેરમાંથી 41 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 7 મુસાફરોનો બચાવ થયો છે. બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. એવી આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 5-5 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે. જબલાનાથ પરિહાર ટ્રાવેલ્સની બસ નંબર MP 19P 1882 સિધીથી સતના તરફ જઈ રહી હતી. કમલેશ્વર સિંહ બસના માલિક છે. બસની ફિટનેસ 2 મે 2021 સુધી અને પરમિટ 12 મે 2025 સુધીની છે. સિધી અકસ્માતના કારણે આજે થનારી કેબિનેટ બેઠક પણ સ્થગિત કરાઈ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને આ જાણકારી આપી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube