નીમચ: મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેના વિશે જાણીને કઠણ કાળજાની વ્યક્તિનું પણ હ્રદય હચમચી ઉઠે. જાવદ તહસીલના ગોઠા ગામમાં પતિ પત્નીના અમર પ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું. પતિ જે આંગણામાં પત્નીને પરણીને લાવ્યો હતો તે જ આંગણેથી બંનેની અર્થી પણ એક સાથે જ નીકળી અને એક સાથે તેમની ચિતાને મુખાગ્નિ આપવામાં આવી. આ દરમિયાન ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે જાવદ તહસીના ગોઠા ગામના રહીશ 85 વર્ષના શંકર ધોબીનું રવિવારે મોત નિપજ્યું. તેમની પત્ની વસંતીબાઈ બોલી શકતા નહતા. જ્યારે તેમના પુત્રએ ઈશારામાં વાત જણાવી કે તેમના પતિ હવે આ દુનિયામાં નથી ત્યારે જાણ થતા જ બે કલાકની અંદર તેમનું પણ મોત નિપજ્યું. 


એક સાથે ઉઠી અર્થી
વૃદ્ધ દંપત્તિના પુત્ર બદ્રીલાલે જણાવ્યું કે જ્યારે તેમણે માતાને પિતાજીના મોત અંગે જણાવ્યું તો તેઓ સાંભળતા જ રોવા લાગ્યા હતા. આ દરમિયાન તેમની પાસે જ ઘરની કેટલીક મહિલાઓ બેઠી હતી. પરંતુ બે કલાક બાદ અચાનક તેઓ સૂઈ ગયા તો ઉઠ્યા જ નહીં. જ્યારે આસપાસની મહિલાઓએ તેમને ઉઠાડવાની કોશિશ કરી તો ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શંકર અને તેમના પત્ની વસંતીબાઈની અર્થી એક સાથે ઉઠી, બંનેની ચિતા એક સાથે સળગાવવામાં આવી. 


Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube