Mahakumbh Stampede: મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે. 30 લોકોના મોત થયા છે. ઘાયલોને કુંભ વિસ્તારના સેક્ટર-2માં બનેલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડીઆઈજી વભવ કૃષ્ણાએ કહ્યું કે, આજે મહાકુંભ પ્રયાગરાજમાં ભારે ભીડનું દબાણ હતું. જેના કારણે બેરીકેટ્સ તૂટી ગયા અને ભીડે લોકોને કચડવાનું શરૂ કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના એક શ્રદ્ધાળુનું મોત
પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 30ના મોત થયા છે. મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં ન્યાયી વહીવટીતંત્રના અધિકારીઓએ આ માહિતી આપી હતી. કર્ણાટકના ચાર અને ગુજરાતના એક શ્રદ્ધાળુની પણ ઓળખ કરવામાં આવી છે.


100 વર્ષ જૂની સાડી પહેરીને પહોંચી 20000 કરોડની માલકિન,રહે છે દેશના સૌથી મોંઘા ઘરમાં!


પ્રયાગરાજ મહાકુંભમાં થેયલી નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 30ના મોત થયા છે. જેમાંથી ગુજરાતના એક શ્રદ્ધાળુનું મોત થયું છે. મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં ન્યાયી વહીવટીતંત્રના અધિકારીઓએ આ માહિતી આપી છે. 


શ્રદ્ધાળુઓ બેરિકેડ તોડી નાખ્યા હતા: DIG
મેળા પ્રશાસન વતી ડીઆઈજી વભવ કૃષ્ણાએ કહ્યું કે, કેટલાક શ્રદ્ધાળુઓ બેરિકેડ તોડીને આગળ જવા માગતા હતા. આ દરમિયાન કેટલાક ભક્તો સૂતા હતા અને તેઓ કચડાઈ ગયા હતા. ડીઆઈજીએ કહ્યું કે, ત્યાં કોઈ વીઆઈપી પ્રોટોકોલ ન હતો. ઘાયલોની માહિતી માટે હેલ્પલાઈન નંબર 1920 જાહેર કરવામાં આવ્યો છે.