મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણમાં ઉલટફેર કરીને ભાજપ(BJP) સત્તામાં આવ્યાં બાદ પાર્ટીના નેતાઓના સતત નિવેદનો ચાલુ જ છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી(Nitin Gadkari) એ શનિવારે કહ્યું કે તેમણે તો પહેલા જ કહ્યું હતું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે અને હવે લોકો તેનો અર્થ સમજી ગયા હશે. આ બાજુ ભાજપે આ સમગ્ર મામલે આક્રમક વલણ અપનાવેલુ છે અને આ ઘટનાક્રમ માટે શિવસેના(Shivsena) ને જવાબદાર ઠેરવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra: માત્ર 9 કલાકમાં પલટી ગઈ બાજી અને બની ગઈ BJPની સરકાર, જાણો ક્યારે શું થયું?


ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે મેં તો પહેલા જ કહ્યું હતું કે ક્રિકેટ(Cricket) અને રાજકારણ(Politics) માં કઈ પણ શક્ય છે. હવે તમે સમજી શકો છો કે મારા કહેવાનો અર્થ શું હતો. આ અગાઉ દેવેન્દ્ર ફડણવીસે પણ શપથ લીધા બાદ શિવસેના પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું કે રાજ્યમાં ખિચડી સરકારની કોઈ જરૂર નહતી. શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું. આથી અમારે આ પગલું  ભરવું પડ્યું. 


‘આવતીકાલે સરકાર બનાવશુ’ એમ વિચારીને સૂઈ ગયા, સવારે ઉઠ્યા તો દેવેન્દ્ર ફડણવીસ શપથ લઈ રહ્યા હતા


નવી સરકારને એનસીપીનું સમર્થન નથી-પવાર
આ બધા વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે રાજ્યમાં નવી બનેલી સરકારને એનસીપીનું સમર્થન નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભાજપ સરકારની સાથે ફક્ત અજિત પવાર ગયા છે. એનસીપી નહી. તેમણે કહ્યું કે તેમની પાસે હજુ પણ વિધાયકોની પૂરતી સંખ્યા છે અને અમારા (શિવસેના, એનસીપી અને કોંગ્રેસ) ગઠબંધનની સરકાર બનશે. તેમણે કહ્યું કે એનસીપી વિધાયક દળના નેતા તરીકે અજિત પવારની પાસે તમામ પાર્ટી વિધાયકોના હસ્તાક્ષર હતાં. એટલું તો નક્કી છે કે વિધાનસભાના પટલ પર દેવેન્દ્ર ફડણવીસ સરકાર પોતાનું બહુમત સાબિત કરી શકશે નહીં. તેમણે કહ્યું કે શિવસેના અને એનસીપીએ તે વિધાયકોને પણ ચેતવણી આપી કે જેઓ ભાજપ સાથે જવાનું મન બનાવી રહ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube