Bus Caught Fire in Nashik: મહારાષ્ટ્રના નાસિકમાં ગોઝારો અકસ્માત થયો. એક બસ આગની ભીષણ જ્વાળાઓમાં લપેટાઈ જતા 11 લોકો જીવતા ભૂંજાયા. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર ખુબ જદ્દોજહેમત બાદ કાબૂ મેળવી શકાયો. આગ લાગવાના કારણની હજુ જાણકારી મળી શકી નથી. 


મળતી માહિતી મુજબ ખાનગી ઓપરેટરની આ બસ યવતમાલથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો. વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આ બસ ઔરંગાબાદના કૈલાશનગર વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. આ કારણે જાનમાલનું નુકસાન વધુ થયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube