Maharashtra, Cabinet Expansion: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. ભાજપ અને શિંદે જૂથમાંથી 9-9 ધારાસભ્યોએ શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કુલ 18 ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા. સૌથી પહેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે શપથ લીધા હતા અને ત્યારબાદ બીજા નંબરે ભાજપના જ વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા. 


ભાજપના આ નેતાઓએ લીધા શપથ
શપથ લેનારાઓમાં ભાજપ તરફથી ચંદ્રકાન્ત પાટિલ, સુધીર મુનગંટીવાર, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરિશ મહાજન, સુરેશ ખાડે, રવિન્દ્ર ચૌહાણ, મંગળ પ્રભાત, વિજયકુમાર ગાવિત અને અતુલ સાવે સામેલ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube